ઘરઘંટી સહાય યોજના 2024
ઘરઘંટી સહાય યોજના 2024
ઘરઘંટી સહાય યોજના 2024 :- ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે બેરોજગારી વધુ જોવા મળે છે. આ બેરોજગારીનો પ્રશ્ન હલ થાય તેના માટે સરકાર દ્વારા ‘ઘરઘંટી સહાય યોજના’ અમલમાં મુકવામાં આવી છે. યોજના અંતર્ગત લાભાર્થી ઘરઘંટી મેળવી અનાજ દળવાનો ધંધો શરુ કરી શકે છે. તમને કઈ રીતે ઘરઘંટી મળશે ? ઘરઘંટી માટે કેટલી સહાય મળશે ? વગેરે સંપૂર્ણ માહિતી નીચે અમારા આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.
યોજના વિશે :-
-
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘર ઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
યોજના માટેની પાત્રતા :-
- આ યોજનાની અરજી કરવા માટે ઉમર 16 થી 60 હોવી જોઈએ.
- અરજદાર ની વાર્ષિક આવક જો તે ગામડામા રહે છે તો 1,20,000 અને શહેર મા રહે છે તો તેની આવક 1,50,000 હોવી જોઇએ અને નગરપાલિકા અધિકારીને આવક નો પુરાવો રજૂ કરવાનો રહેશે
- આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રો ને મળશે.
- આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે.
યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-
- લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
આ પણ વાંચો :- ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024
યોજના માટેનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ?
- યોજનાનું ફોર્મ કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીઅલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.
- યોજના ફોમ ડાઉનલોડ કરવા માટે :- Click Here
યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.