Gyan Sadhana Scholarship Yojana 2024
Gyan Sadhana Scholarship Yojana
Gyan Sadhana Scholarship Yojana :- ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામા આવે છે. થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ અમલમા મૂકવામા આવી છે.
ખાસ નોંધ :- શૈક્ષણિક વર્ષ 2024-25 માટે હજુ સુધી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનો પરિપત્ર બહાર પડ્યો નથી. પરિપત્ર બહાર પડતા જ તમને જાણ કરવામાં આવશે.
ખાનગી શાળામાં મળતી સ્કોલરશીપ :-
- ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
- ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં મળતી સ્કોલરશીપ :-
- ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
- ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
સ્કોલરશીપ મેળવવા શું પાત્રતા હોવી જોઈએ ?
- ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના લાભ મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
- રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ મેળવી શકે છે.
- હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ફોર્મ ભરી શકે છે.
પરીક્ષા વિશે :-
- પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે
- સમય 150 મિનિટ હશે.
- પરીક્ષા પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.
પરીક્ષાનો અભ્યાસક્રમ :-
પરીક્ષા વિગત | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની રીત :-
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ ઓપન કરો.
- પછી તે લોગીન કરો.
- જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 હોલ ટિકિટ પર ક્લિક કરો.
- હોલ ટિકિટ ડાઉનલોડ થઇ જશે.
પરીક્ષાનું પરિણામ કઈ રીતે જોવું ?
- જ્ઞાન સાધના સત્તાવાર http://sebexam.org/Form/printresult ખોલો
- મુખ્ય વેબપેજ પર, “પરિણામ” પર ક્લિક કરો.
- તમારા કમ્પ્યુટર / મોબાઈલમાં પરિણામ જુઓ.
યોજના માટેનું ફોર્મ કઈ રીતે ભરવું ?
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
- જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
- ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
- આ પરીક્ષાની તારીખ હવે સરકાર બહાર પાડશે.
- ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
- ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
- ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.