પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર :– મિત્રો, ઘણાબધા લોકો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. આ દરેક લાભાર્થીને પીએમ કિસાન યોજના અંતર્ગત દર હપ્તે રૂપિયા 2000 ખાતામાં જમા કરવામાં આવે છે. તો હવે તાજેતરમાં જ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર થઇ ચુક્યો છે અને દરેક લાભાર્થીના ખાતામાં 2000 રૂપિયા જમા થવા મંડ્યા છે. જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં નથી પડ્યો તો કઈ રીતે આ હપ્તો તમારા ખાતામાં પડશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મેળવવા માટે e-KYC કરાવવું ફરજીયાત છે :-
- PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત 16 હપ્તાની રકમ ડાયરેક્ટ બેનિફિટ (DBT) દ્વારા રૂપિયા 2000 સીધા આપના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. પરંતુ 17 માં હપ્તાનું પેમેન્ટ લેવા માટે આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું અપડેટ જાણી લેવું જરૂરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નો 17 મો હપ્તો નજીકના સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવશે. પરંતુ આ હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ e-KYC કરવું ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રોએ તેમની પંચાયતના VCE મારફત અથવા તો તાલુકાએ તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારીની મદદ થી પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો મેળવવા માટે e-KYC કરાવવું પડશે જો તમે e-KYC નહીં કર્યું હોય તો તમારા હપ્તાની રકમ જમા થઈ શકશે નહીં.
17માં હપ્તાની રકમ ખાતામાં ક્યારે જમા થશે ?
- PM કિસાનનો 17 મા હપ્તાની રકમ ક્યારે જમા થશે એવી ઘણાં ખેડૂત મિત્રો આ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે આ હપ્તાની રકમ ક્યારે જમા થશે તે અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી. પરંતુ કેટલાક જાણકારો જણાવી રહ્યા છે કે જૂન મહિનાના પ્રથમ અથવા દ્વિતીય સપ્તાહમાં પીએમ કિસાન યોજના નો 17 મો હપ્તો જમા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.
આ પણ વાંચો :- પીએમ કુસુમ યોજના – સોલાર પંપ લગાવવા માટે મળે છે 90% સબસીડી
પીએમ કિસાન યોજના 2024 અપડેટ :-
- ખેતીલાયક જમીન 2 એકર થી ઓછી છે તેમજ કેટલાક લોકો બિન અધિકૃત રીતે પણ PM Ksan Samman Nidhi Yojana નો હપ્તો મેળવવા લાયક નથી અથવા તો તેની પાત્રતા ધરાવતા નથી. તેવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેવા લોકોને આ યોજનાના લાભાર્થી યાદી માંથી રદ કરવામાં આવનાર છે.
- મિત્રો PM KISAN યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો, અને આપ રજીસ્ટ્રેશન કરાવેલું નથી તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઉપરાંત જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટર છે અને અત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તેવા ખેડૂત મિત્રોએ 17 મા PM Ksan Samman Nidhi Yojana ના 17 મા હપ્તાનો માટે લાભ મેળવવા માગતા હોય તો તેમણે વહેલી તકે e-KYC કરાવી લેવું જોઈએ.
હેલ્પલાઇન નંબર :-
આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત મિત્રને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તેઓ અહીં જણાવેલ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને તેમના પ્રશ્નોનું સમાધાન કરી શકે છે. નીચે આપેલા ઈ મેઈલ અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકે છે.
ફોન નંબર 15 52 61 અથવા 1800-11-552 ટોલ ફ્રી નંબરો
ઈમેઈલ દ્વારા : pm kisan.ict@gov.in
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર