રાજેન્દ્ર કેશવલાલ શાહ
28 જાન્યુઆરીએ પ્રખ્યાત ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહની જન્મજયંતી છે.
- રાજેન્દ્ર કેશવલાલ શાહ એક ગુજરાતી કવિ હતા.
- તેમણે 20 કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા.
- ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.
- તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક 1957માં શરૂ કર્યું હતું. આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું.
- રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.
જીવન
- રાજેન્દ્ર શાહનો જન્મ 28 જાન્યુઆરી 1913 ના રોજ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો.
- 1930માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો.
- 1931માં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા.
- 1934માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય – વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.
- તેમનું અવસાન 2 જાન્યુઆરી 2010ના રોજ મુંબઈ ખાતે થયું હતું
પુરસ્કારો
- કુમાર સુવર્ણ ચંદ્રક- 1949
- રણજિતરામ સુવર્ણચંદ્રક – 1965
- સાહિત્ય અકાદમી પુરસ્કાર – 1963 (શાંત કોલાહલ માટે)
- ઓરબિંદો સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ – 1980
- નરસિંહ મહેતા એવોર્ડ – 1999
- જ્ઞાનપીઠ એવોર્ડ – 2001
- નર્મદ સુવર્ણ ચંદ્રક
કાવ્ય સંગ્રહો
- ધ્વનિ (૧૯૫૧)
- આંદોલન (૧૯૫૨)
- શ્રુતિ (૧૯૫૭)
- મોરપીંછ (૧૯૫૯)
- શાંત કોલાહલ (૧૯૬૨)
- ચિત્રણા (૧૯૬૭)
- ક્ષણ જે ચિત્તરંજન (૧૯૬૮)
- વિષાદને સાદ (૧૯૬૮)
- મધ્યમા (૧૯૭૮)
- ઉદ્ ગીતિ (૧૯૭૯)
- ઇક્ષણા (૧૯૭૯)
- પત્રલેખા (૧૯૮૧)
- પ્રસંગ સપ્તક (૧૯૮૨)
- પંચપર્વ (૧૯૮૩)
- દ્વાસુપમા (૧૯૮૩)
- વિભાવન (૧૯૮૩)
- ચંદન ભીની અને અનામિક (૧૯૮૭)
- અરણ્યક (૧૯૯૨)