મુકુન્દરાય પારાશર્ય
13 ફેબ્રુઆરીએ મુકુન્દરાય પારાશર્યની જન્મજયંતી છે.
- મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી ‘પારાશર્ય’એક ગુજરાતી કવિ, વિવેચક અને ચરિત્રકાર હતા.
- જન્મ : 13 ફેબ્રુઆરી 1914, મોરબી
- અવસાન : 20 મે 1985, ભાવનગર
- ઉપનામ : પારાશર્ય, મકનજી, માસ્તર, અકિંચન
- અભ્યાસ : 1933- મેટ્રિક, 1940- બી.એ. – ઇતિહાસ / અર્થશાસ્ત્ર સાથે , શામળદાસ કોલેજ, ભાવનગર
- વ્યવસાય : પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન
- 1946 – ડેપ્યુટી કન્ટ્રોલર
- 1948 – ભારત લાઇન લિ. સ્ટીમર કમ્પની, ભાવનગરમાં કારકુન
- 1976 – નિવૃત્ત
મુખ્ય રચનાઓ
- કવિતા – અર્ચન , સંસૃતિ ( પ્રબોધ ભટ્ટ સાથે) ; પ્રાણ પપૈયાનો, ભદ્રા, અલકા ( મેઘદૂત ઉપરથી) , ફૂલ ફાગણનાં, દીપમાળા(મુક્તકો) , કંઠ ચાતકનો ( પદો, ભજનો)
- નવલકથા – ઉર્મિલા
- ચરિત્ર – સત્યકથા, સત્વશીલ, મારી મોટીબા, પ્રભાશંકર પટ્ટણી – વ્યક્તિદર્શન
- વિવેચન – આલેખનની ઓળખ
- સંસ્કૃત – શિવસ્તુતિ
- નિબંધ – મારા ગુરુની વાતો
- સંપાદન – પિતા વિજયશંકર કાનજીની રચનાઓ, મિત્રો પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની રચનાઓ
- અનુવાદ – સ્વામી રામદાસનો ઉપદેશ