ચંદ્રકાંત શેઠ
3 ફેબ્રુઆરીએ ચંદ્રકાંત શેઠનો જન્મદિવસ છે.
- ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ એક ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે.
- જીવન
- તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો.
- 1954માં તેમણે મેટ્રિક, 1958માં બી.એ. અને 1961માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી.
- 1979માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું.
- 1961-62 દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા.
- તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.
- તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને હાલમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.
રચનાઓ
- કવિતા – પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
- નાટક – સ્વપ્નપિંજર
- નિબંધ – નંદસામવેદી
- વિવેચન – રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય
- વર્ણન – ધૂળમાંની પગલીઓ
- ચરિત્ર – ચહેરા ભીતર ચહેરા
- સંશોધન – ગુજરાતીમાં વિરામચિહ્ન
- અનુવાદ – પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા
- સંપાદન – સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ
સન્માન
- કુમાર સુવર્ણ ચંદ્રક – 1964
- નર્મદ સુવર્ણ ચંદ્રક – 1983
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક – 1985
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક – 1984-85
- સાહિત્ય અકાદમી પુરસ્કાર – 1986
- ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક – 1986
- નરસિંહ મહેતા એવોર્ડ – 2005
- સાહિત્ય ગૌરવ પુરસ્કાર – 2006