Raghuveer Chaudhary
5 ડિસેમ્બરે પ્રખ્યાત ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક રઘુવીર ચૌધરીનો જન્મદિવસ છે.
- તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો.
- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે 1960માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી.
- તેમણે 1962માં એમ.એ. અને 1979માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી.
- તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ-અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા.
- 1977થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને 1998માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
- “અમૃતા” એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.
નવલકથા
- પૂર્વરાગ (19664)
- અમૃતા (1965)
- પરસ્પર (1969)
- ઉપરવાસ (1975)
- રૂદ્રમહાલય (1978)
- પ્રેમઅંશ (1982)
- ઇચ્છાવર (1987)
વાર્તા સંગ્રહો
- આકસ્મિક સ્પર્શ (1966)
- ગેરસમજ (1968)
- બહાર કોઈ છે (1972)
- નંદીઘર (1977)
- અતિથિગૃહ (1988)
કવિતા
- તમસા (1967, 1992)
- વહેતાં વૃક્ષ પવનમાં
- ઉપરવાસયત્રી
નાટક
- અશોકવન (1970)
- ઝુલતા મિનારા (1970)
- સિકંદરસાની (1979)
- નજીક
એકાંકી
- ડિમલાઇટ (1973)
- ત્રીજો પુરુષ (1982)
વિવેચન
- અદ્યતન કવિતા
- વાર્તાવિશેષ
- દર્શકના દેશમાં
- જયંતિ દલાલ
- મુક્તાનંદની અક્ષર આરાધના
રેખાચિત્રો
- સહરાની ભવ્યતા (1980)
- તિલક
- પ્રવાસ વર્ણન
- બારીમાંથી બ્રિટન
- ધર્મચિંતન
- વચનામૃત અને કથામૃત
સંપાદન
- સ્વામિનારાયણ સંતસાહિત્ય
- નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
- શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય
સન્માન
- કુમાર સુવર્ણ ચંદ્રક
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર
- રણજિતરામ સુવર્ણચંદ્રક
- જ્ઞાનપીઠ પુરસ્કાર (2015)
- નર્મદ સુવર્ણ ચંદ્રક (1995) ‘તિલક કરે રઘુવીર માટે’
આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લીંક માટે :click here