ગુજરાતના 5માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ
17 ફેબ્રુઆરીએ ગુજરાતના 5માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની પુણ્યતિથિ છે.
- તેમનો જન્મ 3 જૂન 1929ના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિકોદ્રા ગામમાં થયો હતો.
- તેઓ 1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિદ્યાર્થી સંઘના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
- ચીમનભાઈ પટેલ એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને જનતા દળ સાથે સંકળાયેલા ભારતીય રાજકારણી હતા.
- પટેલને કોકમ થિયરીના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ખામ થિયરીનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી હતી અને તે રાજ્યની વસ્તીના 24% કોળીઓનું વિશાળ સમર્થન હાંસલ કરવામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સફળ રહી હતી.
- તેમણે 18 જુલાઈ 1973થી 9 ફેબ્રુઆરી 1974 સુધી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
- તેઓ ઘનશ્યામ ઓઝાના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા તેમજ ગૃહ વિભાગનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ગુજરાતમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રી પદ પર કાંતિલાલ ઘીયા રહ્યા હતા સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન સૌપ્રથમ વખત રાજ્ય કક્ષાના પ્રધાનપદના હોદ્દાની શરૂઆત થઈ હતી.
- ‘નયા ગુજરાત’ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું સ્વપ્ન હતું.
- તેઓ સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા.
- તેઓ નર્મદા યોજના માટે પ્રગતિશીલ હોવાથી ‘છોટે સરદાર’ તરીકે ઓળખાયા.
- તેમણે જનતા દળ ગુજરાત પક્ષની પણ સ્થાપના કરી.
- તેઓ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં આયોજન મંત્રી અને ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં ઉઘોગ મંત્રી રહી ચૂકયા હતા.
- રતુભાઈ અદાણી 38 ધારાસભ્યોની સહી લઈ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીની અરજી લઈ દિલ્હી ગયા હતા.
- તેમના સમયમાં રોટી રમખાણ અને વર્ષ 1974 માં નવનિર્માણ આંદોલન થયું.
- ચીમનભાઈ પટેલ 4 માર્ચ , 1990 માં ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
- “સૂર્યપુત્ર” નામનું પુસ્તક ચીમનભાઈ પટેલને કેન્દ્રમાં રાખીને લખવામાં આવ્યું છે.
- 1991 માં ‘નર્મદા બચાવો આંદોલન’ ના પગલે રચાયેલી ‘મોર્સ સમિતિ’ને થયેલા અંસતોષથી વિશ્વબેંકની સહાય બંધ થઈ જતાં તેમણે ‘નર્મદા બોન્ડ’ ની જાહેરાત કરી હતી. તેમણે નર્મદાને “ગુજરાતની જીવાદોરી” ગણાવી હતી.
- હૃદય રોગના હુમલાથી તેમનું આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી પદ પર અવસાન પામનાર તેઓ બીજા મુખ્યમંત્રી હતા.ગાંધીનગરમાં આવેલ ‘નર્મદા ઘાટ’ ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ છે.
મુખ્યમંત્રીની સિદ્ધિ
- તેમણે મંડલ પંચની ભલામણોને આધારે ગુજરાતમાં અનામતમાં વધારો કર્યો હતો.
- હિંદુ અને જૈન ઉત્સવોમાં કતલખાના પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડયો.