WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાતનાં એવોર્ડ અને પરિતોષિક

1. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર

 

  • સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારતમાં એક સાહિત્યિક સન્માન છે.
  • ભારતની નેશનલ એકેડેમી ઓફ લેટર્સ નામની સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
  • 1,00,000 નું રોકડ ઈનામ
  • આ એવોર્ડ આપવાની શરૂઆત 1954 થી થઈ હતી અને સૌપ્રથમ પુરસ્કાર 1955 માં મહાદેવભાઇ દેસાઇ(મહાદેવભાઈની ડાયરી)ને એનાયત કરવામાં આવ્યો હતો.
  • આ પુરસ્કાર છેલ્લે 2020 માં હરીશ મિનાશ્રુ ને એનાયત કરવામાં આવ્યો હતો.

 

 

2. એકલવ્ય એવોર્ડ

 

  • રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કર્ણાટક સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
  • કર્ણાટક સરકારે આ એવોર્ડ 1993માં શરૂ કર્યો હતો.
  • પ્રથમ એવોર્ડ 1993 માં અમિત રોય ચૌધરીને (વોલીબોલ) એનાયત થયો હતો.
  • આ એવોર્ડ છેલ્લે 2020 માં કે.એલ.રાહુલ (ક્રિકેટ) , મયંક અગ્રવાલ (ક્રિકેટ) , ઈશિકા ચૌધરી (જુનિયર હોકી) ને એનાયત થયો હતો.
  • યુસુફ પઠાણ અને મુનાફ પટેલ ને એનાયત કરવામાં આવશે .
 
3. સરદાર વલ્લભભાઈ એવોર્ડ
ગુજરાતનો કોઈ પણ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને સરદાર વલ્લભભાઇ એવોર્ડ આપવામાં આવે છે.

 

 

 

4. જયદીપસિંહજી એવોર્ડ
ગુજરાતનો કોઈ પણ ખેલાડી રાજય કક્ષાએ સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને જયદીપસિંહજી એવોર્ડ આપવામાં આવે છે.
5. જય ભીખ્ખુ એવોર્ડ
  • માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવુતિ કરવા બદલ સુપ્રસિદ્ધ લેખક જયભીખ્ખુ ની સ્મૃતિમાં આ એવોર્ડ અપાય છે.
  • જયભીખ્ખુ એ દિવંગત લેખક બાલાભાઈ દેસાઈનું ઉપનામ છે.
6. નર્મદચંદ્રક એવોર્ડ
  • સુરતની નર્મદ સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્ર માં ઉતમ પ્રદાન કરનાર સાહિત્યકારોને નર્મદ ચંદ્રક આપવામાં આવ છે .
  • તે પ્રખ્યાત ગુજરાતી કવિ નર્મદની યાદમાં આપવામાં આવે છે .
  • દર વર્ષે, ગુજરાતી ભાષામાં લખાયેલા સૌથી ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.
  • આ એવોર્ડ સૌપ્રથમ 1940 માં જ્યોતીન્દ્ર દવે ને એનાયત કરવામાં આવ્યો હતો.
  • છેલ્લે 2016 માં પ્રવીણ દરજીને એનાયત કરવામાં આવ્યો હતો.

     

7. પ્રેમાનંદ ચંદ્રક એવોર્ડ
  • વડોદરા ની પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જક ની પસંદગી કરી પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે.
  • આ એવોર્ડ સૌપ્રથમ 1983 માં મરીજને એનાયત કરવામાં આવ્યો હતો.
  • છેલ્લે આ એવોર્ડ 2016 માં ચંદ્ર્કાંત સેઠ ને એનાયત કરવામાં આવ્યો હતો.
8. યુવા ગૌરવ પુરસ્કાર

 

  • ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે 18 થી 35 વર્ષના યુવા સર્જક્ને તેમના તેમના સાહિત્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને યુવા ગૌરવ પુરસ્કાર અપાય છે.
  • આ એવોર્ડ અંતર્ગત 50000 નું રોકડ ઈનામ અને પ્રમાણપત્રક એનાયત કરવાં આવે છે.
  • આ એવોર્ડ સૌપ્રથમ 2007 માં સૌમ્ય જોશીને એનાયત કરવામાં આવ્યો હતો.
  • છેલ્લે 2020 માં રીંકું રાઠોડને એનાયત કરવામાં આવ્યો હતો.
9. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

 

  • ગુજરાત સરકારના વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા દર વર્ષે ગુજરાતના નામાંકિત ગઝલકારને આ એવોર્ડ અપાય છે.
  • આ પુરસ્કાર હેઠળ 1 લાખ નું રોકડ ઈનામ અને સ્મૃતિચિન્હ અપાય છે.
  • આ એવોર્ડ સૌપ્રથમ 2005 માં અસિમ રંડેરીને આપવામાં આવ્યો હતો.
  • છેલ્લે 2014 માં રાજેશ વ્યાસ ને એનાયત કરવામાં આવ્યો હતો.
10. ડોક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ
ગુજરાતનો કોઈ પણ ખેલાડી વિજ્ઞાન ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને ડોક્ટર વિક્રમ સારાભાઇ એવોર્ડ આપવામાં આવે છે.
11. મગનભાઈ દેસાઈ એવોર્ડ
ગુજરાતનો કોઈ પણ ખેલાડી શિક્ષણક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને મગનભાઈ દેસાઈ એવોર્ડ આપવામાં આવે છે.
12. ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
  • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે.
  • તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમનાં માનમાં અપાયું છે.
  • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે.
  • તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમનાં માનમાં અપાયું છે.
13. અંબુભાઇ પુરાણી એવોર્ડ
ગુજરાતનો કોઈ પણ ખેલાડી રમત-ગમત ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને અંબુભાઇ પુરાણી એવોર્ડ આપવામાં આવે છે.

 

 

 

14.રવિશંકર રાવળ પુરસ્કાર
ગુજરાતનો કોઈ પણ ખેલાડી લલિતકલા ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને રવિશંકર રાવળ પુરસ્કાર આપવામાં આવે છે.

 

 

 

15. આદિકવી નરસિંહ મહેતા એવોર્ડ
  • નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
  • આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.
  • આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. 1999નાં વર્ષથી કરવામાં આવી છે.
  • આ સન્માનમાં મહાનુભાવને ₹1.51.000(એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.
  • આ એવોર્ડ સૌપ્રથમ 1999 માં રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
  • છેલ્લે 2019 માં ખલીલ ધનતેજવી ને આપવામાં આવ્યો હતો .

 

16. પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર
ગુજરાતનો કોઈ પણ ખેલાડી રંગમંચલક્ષી કલા ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે તો તેને પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર આપવામાં આવે છે.

 

 

 

17. રણજિતરામ સુવર્ણચંદ્રક
  • તેની સ્થાપના ગુજરાત સાહિત્ય સભા દ્વારા કરવામાં આવી હતી અને તેને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર ગણવામાં આવે છે.
  • આ પુરસ્કાર જાણીતા ગુજરાતી લેખક રણજીતરામ મહેતાના નામ પરથી રાખવામાં આવ્યો છે.
  • આ એવોર્ડ આપવાની શરૂઆત 1928 થી થઈ હતી.
  • આ એવોર્ડ સૌપ્રથમ 1928 માં ઝવેરચંદ મેઘાણી ને એનાયત થયો હતો .
  • છેલ્લે 2015 માં કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો.

 

18. ધનજી કાનજી સુવર્ણચંદ્રક
  • કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, જેને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સાહિત્યિક સન્માન છે.
  • ગુજરાત, ભારતમાં ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવેલ.
  • 1983માં સ્થપાયેલો આ એવોર્ડ ગુજરાતી સાહિત્યમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ સૌથી ઉત્કૃષ્ટ સાક્ષરને દર વર્ષે એનાયત કરવામાં આવે છે.

 

19. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક
  • રમણલાલ નીલકંઠ હસ્ય પારિતોષિક એ ગુજરાત , ભારતમાં એક સાહિત્યિક સન્માન છે.
  • તેનું નામ જાણીતા ગુજરાતી લેખક રમણભાઈ નીલકંઠના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી લેખકોને ગુજરાતી હાસ્ય સાહિત્યમાં તેમના નોંધપાત્ર પ્રદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
  • 2016 માં સ્થપાયેલ આ પુરસ્કારમાં એક તકતી , શાલ અને રૂ. 1,00,000ના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.

 

20. કલાપી ઍવોર્ડ
  • કલાપી એવોર્ડ કલાપી એવોર્ડ એ ગુજરાતી ગઝલ કવિઓને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે.
  • તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.
  • આ એવોર્ડ ગુજરાતી કવિ કલાપીના નામ પરથી રાખવામાં આવ્યો છે.
  • ₹ 25000 ની રકમ ગુજરાતી ગઝલ કવિને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે.

 

21. શયદા એવોર્ડ
  • શયદા એવોર્ડ એ યુવા ગુજરાતી ગઝલ કવિને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે.
  • તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર ગુજરાતી ગઝલ કવિ હરજી લવજી દામાણીના નામ પરથી રાખવામાં આવ્યો છે, જેઓ તેમના ઉપનામ શયદાથી જાણીતા છે. ગુજરાતી ગઝલ કવિઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે 10000નું ઇનામ આપવામાં આવે છે.

 

22. તખ્તસિંહ પરમાર પારિતોષિક
  • તખ્તસિંહ પરમાર પુરસ્કાર, જેને શ્રી તખ્તસિંહ પરમાર પરિતોષિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર છે.
  • આ પુરસ્કાર, જે ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકોને ઓળખે છે, તેની સ્થાપના 1981 માં કરવામાં આવી હતી અને દર બીજા વર્ષે એનાયત કરવામાં આવે છે.
23. PRIDE OF GUJARAT
  • પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ્સ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ એ સંસ્થાઓ અને કંપનીઓને તેમના અનુકરણીય કાર્ય અને સિદ્ધિઓ તેમજ સમાજ, ઉદ્યોગ, રાજ્ય, રાષ્ટ્ર, લોકો, પર્યાવરણ, શિક્ષણ, નીતિ, જળ સંરક્ષણ, કૃષિ ઉત્પાદકતા, માટે યોગદાન અને પ્રયત્નો માટે અનન્ય માન્યતા છે.
  • આ પુરસ્કાર 2021 માં jomon thommana ને આપવામાં આવ્યો .
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ વિકાસ, નવી ઉદ્યોગસાહસિકતા, સાંસ્કૃતિક અને સાહિત્ય, રમતગમત, સમુદાય તેમજ સીએસઆર પ્રવૃત્તિઓ સરકારી પહેલ, આરોગ્ય અને સ્વચ્છતા, સ્વચ્છતા, ઉર્જા અને યુવા અને મહિલા સશક્તિકરણ, ઇ-ગવર્નન્સમાં પરિવર્તન માટે વ્યક્તિગત પ્રયાસો, પહેલો અંગે જાગૃતિ કાર્યક્રમ. સામાન્ય લોકો માટે વધુ સારા લાભો માટે સરકારની નવી નીતિઓ, ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગિકીકરણ, અનન્ય સંશોધન અને વિકાસ, નાણાકીય સાક્ષરતા અને નાણાકીય સમાવેશ કાર્યક્રમ તેમજ વ્યક્તિઓને સમાજ, ઉદ્યોગ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની નોંધપાત્ર સેવાઓ માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડથી નવાજવામાં આવશે.
24. સાહિત્યરત્ન એવોર્ડ
  • સાહિત્યરત્ન પુરસ્કાર, સાહિત્યરત્ન એ ગુજરાત, ભારતમાં એક સાહિત્યિક સન્માન છે, જે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી લેખકોને તેમના ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન બદલ એનાયત કરવામાં આવે છે.
  • 2016 માં સ્થપાયેલ આ પુરસ્કારમાં એક તકતી , શાલ અને રૂ.1,51,000 ( 1.5 લાખ )ના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.

ધોરણ 9 અને 10 ના WhatsApp ના ગ્રૂપ માં જોડાવા અહી  : ક્લિક કરો

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *